Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સીરિયલ કિલરની પૂછપરછમાં વધુ એક હત્યાની કબૂલાત બાદ મૃતદેહ શોધવા પોલીસની તજવીજ :ફાયરબિગ્રેડની મદદ લીધી

સીરિયલ કિલરએ વિશાલને કઠવાડા જીઆઇડીસી મળવા માટે બોલાવ્યો: હત્યા કરીને મૃતદેહ દાસ્તાન ફાર્મ નજીક એક ગટરમાં ફેંકી દીધો

ગાંધીનગરમાં ત્રણ હત્યાના આરોપી સિરિયલ કિલરની પૂછપરછમાં વધુ એક હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. . સીરિયલ કિલર મોનીશ નાયકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વિશાલ પટેલની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે

ગાંધીનગરમાં થયેલી ત્રણ હત્યા બાદ સીરિયલ કિલરના સીસીટીવી ફુટેજના ફોટો સાથે પોલીસએ ઇનામની જાહેરાત કરતા પોસ્ટરો તમામ વિસ્તારોમાં લગાવ્યા હતાં. જેથી સીરિયલ કિલરને ક્યાંકને ક્યાંક એવો ડર હતો કે વિશાલ એક માત્ર વ્યક્તિ છે કે જે તેને ઓળખે જેથી તે તેની માહિતી પોલીસને આપી દેશે એટલે આરોપી સીરિયલ કિલરએ વિશાલને કઠવાડા જીઆઇડીસી મળવા માટે બોલાવ્યો હતો. અને ત્યાં માથાના ભાગે ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી. અને તેના મૃતદેહને દાસ્તાન ફાર્મ નજીક એક ગટરમાં ફેંકી દીધો હતો. જ્યારે હત્યા કર્યા બાદ વિશાલની ગાડી દહેગામ રોડ પર જતા કેનાલની બાજુમાં અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં સળગાવી દીધી હતી

વિશાલ પટેલ સોના-ચાંદીના દાગીનાનો (Gold-silver)વેપાર કરતો હતો જો કે છેલ્લા એક વર્ષથી તે કાંઇ કામ ધંધો કરતો હતો. અને આરોપી સીરિયલ કિલર લૂંટમાં (loot)જે મુદ્દામાલ લાવતો તે વિશાલને વહેચતો હતો. આરોપી સીરિયલ કિલરની પૂછપરછમાં થયેલ ખુલાસા બાદ પોલીસએ વિશાલના મૃતદેહને શોધવા માટેની કામગીરી હાથ ધરી હતી. ફાયરબિગ્રેડની મદદ પણ લીધેલી હતી.

 

 

(11:54 pm IST)