Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સુરતના અમરોલી-ન્યુ કોસાડ વિસ્તારમાં પ્રેમલગ્ન બાદ પતિનો પત્નીને શારીરિક-માનસિક ત્રાસ: છૂટાછેડા માટે 20 લાખની માંગણી કરનાર વકીલની અમરોલી પોલીસે ધરપકડ કરી

સુરત:અમરોલી-ન્યુ કોસાડ રોડ વિસ્તારમાં પ્રેમલગ્ન બાદ દારૃના નશામાં પત્નીને શારિરીક-માનસિક ત્રાસ આપી છુટાછેડા આપવા માટે 20 લાખની માંગણી કરનાર વકીલની અમરોલી પોલીસે ધરપકડ કરી છે.

સરથાણા નજીકના વાલક ગામની મિત્તલ હસમુખ પાનસેરીયાએ વર્ષ 2011 ના જુન મહિનામાં વકીલ અનિલ કાળુભાઇ માંગુકીયા (રહે. સરદાર નગર સોસાયટીન્યુ કોસાડ રોડઅમરોલી) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આઠ વર્ષના દાંમ્પત્યજીવન દરમ્યાન પાંચ વર્ષનો પુત્ર રુદ્ર છે. માતા-પિતાની મરજી વિરૃધ્ધ પ્રેમલગ્ન કરનાર મિત્તલનું લગ્નજીવન એક વર્ષ સુધી સુખેથી પસાર થયું હતું. પરંતુ ત્યાર બાદ પતિ અનિલ નાની-નાની બાબતોએ ઝઘડા કરતો હતો અને દારૃના નશામાં આવી માર પણ મારતો હતો. મિત્તલને તેના સાસુ-સસરા બચાવવા માટે વચ્ચે પડે તો તેમને પણ અનિલ અપશબ્દો ઉચ્ચારતો હતો અને પાંચ વર્ષના માસુમ પુત્રને પણ માર મારતો હતો. માતા-પિતાની મરજી વિરૃધ્ધ લગ્ન કરનાર મિત્તલ પતિના ત્રાસથી કંટાળી જતા અનિલ સમક્ષ છુટાછેડાની માંગણી કરી હતી. પરંતુ અનિલે છુટાછેડા આપવા માટે તેના માતા-પિતા પાસેથી રૃા. ૨૦ લાખ લઇ આવવાની માંગણી કરતા મિત્તલની હાલત કફોડી થઇ હતી.

(5:44 pm IST)