Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

આણંદ સબ જેલમાં કાચા કામના કેદીનું મૃત્યુ થયું

પરિવારજનોએ હોબાળો મચાવ્યો

અમદાવાદ, તા.૨૦ : -આણંદની સબ જેલમાં કાચા કામના કેદીનું રહસ્યમય સંજોગોમાં મોતની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. મારામારીના કેસમાં આણંદ પોલીસે ગામડીના શખ્સની અટકાયત કરીને ગઈકાલે જ આણંદની સબ જેલમાં લાવી હતી. જો કે, રાત્રિ દરમિયાન આ કેદીનું મોત થતા પરિવારજનોએ પોલીસ પર શંકા વ્યકત કરી સબ જેલ ખાતે જોરદાર હોબાળો મચાવ્યો હતો. બીજીબાજુ, પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું કારણ સામે આવશે તેવો દાવો કર્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આણંદ જિલ્લાના ગામડીના રાહુલ ભરવાડ (ઉં.વ. ૩૫) નામના યુવકને મારામારી ગુનામાં પોલીસે ગઇકાલે રાત્રે અટકાયત કર્યો હતો, અને રાત્રિ દરમિયાન બીમારી કે અન્ય કારણોસર તેનું મોત નીપજ્યું હતું. વહેલી સવારે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને મોત અંગે જાણ થતા જેલ ઓફિસર અને ટાઉન પોલીસ મથકને જાણ કરી હતી. જેથી રૂજીઁ સહિતનો પોલીસ કાફળો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બીજી તરફ કેદીના પરિવારજનો પણ સબજેલ પહોંચી આવ્યા હતા. યુવકના મોત અંગે સબજેલ પાસે હોબાળો પણ મચાવ્યો હતો. જોકે, પોલીસે મામળો થાળે પાડ્યો હતો.

(10:05 pm IST)