Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પાલનપુરના આધેડે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું : ટુ વહીલર મળ્યું : મૃત્યુનું કારણ અકબંધ

સિવિલ ખાતે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપટી પડ્‌યા

પાલનપુર:  શહેરના વિરબાઈગેટ માળીવાસમાં રહેતા એક યુવકે કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કરતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. રેલ્વે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પાલનપુર સિવિલ માં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર વીરબાઈ ગેટ હનુમાન શેરી માળી વાસમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા ૫૦ વર્ષીય પ્રદિપકુમાર નટવરલાલ માળી પાલનપુર રેલ્વે સ્ટેશન નજીક રેલવે બ્રિજ નીચે કોઈ અગમ્ય કારણોસર ટ્રેનની નીચે પડતું મૂકી જીવનનો અંત આણ્યો હતો. આ ઘટનાના પગલે લોકોના ટોળે-ટોળા એકત્ર થઈ ગયા હતા.અને રેલ્વે પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પાલનપુર સિવિલમાં પીએમ અર્થે ખસેડયો હતો. જેના પગલે સિવિલ ખાતે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપટી પડ્‌યા હતા.

આ અંગે રેલ્વે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહનું પી.એમ કરી મૃતદેહને વાલીવારસોને સોપવામાં આવી છે. આ યુવકનું કઈ રીતે મોત નિપજ્યુ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકનું ટુ-વ્હીલર પણ ઘટનાસ્થળેથી મળી આવ્યું હતું. ત્યારે તેઓના મોતનું રહસ્ય અકબંધ રહ્યું હતું.

(9:52 pm IST)