Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જો ગુજરાતમાં વિકાસ ન થયો હોય ને તો હું રાજકારણ છોડી દઈશ :નીતિનભાઈ પટેલ

કોંગ્રેસના લોકો બેફામ:ભાન અને વિવેક જેવા સંસ્કારો પણ ગુમાવી ચુક્યા

 

બનાસકાંઠા જિલ્લામાં બનાસ મેડિકલ કોલેજના ઉદ્ઘાટન બાદ 150 વિદ્યાર્થીઓને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે પ્રવેશ કરાવાયો હતો શ્રી પટેલે બનાસ ડેરીના ઓઈલ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું

  પ્રસંગે નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાન સામે રાહુલના નિવેદન મામલે કટાક્ષ કરતા કહ્યુંકે વડાપ્રધાન સામે બોલવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસના લોકો બેફામ થઈ ચૂક્યા છે. તેઓ ભાન અને વિવેક જેવા સંસ્કારો પણ ગુમાવી ચુક્યા છે.

  નીતિનભાઈ  પટેલે કહ્યું હતું કે જો ગુજરાતમાં વિકાસ થયો હોય ને તો હું રાજકારણ છોડી દઈશ. અને જો વિકાસ ગુજરાતમાં થયો હોય ને તો રાહુલ ગાંધી રાજકારણ છોડી દે.

(11:49 pm IST)