Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

તે તેના જીવનમાં અપશુકન લઇને આવી છે “તેમ કહીને અમદાવાદમા પત્નિને મારપીટ કરનાર પતિ સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ- લગ્ન કર્યા પછી પાછલા ચાર વર્ષથી અમદાવાદમાં રહેતી ભોપાલની એક 28 વર્ષીય મહિલાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ છે કે, તેના પતિને લાગે છે કે તે તેના જીવનમાં અપશુકન લઈને આવી છે, માટે પાછલા 3 વર્ષથી તે તેની સાથે મારપીટ કરે છે.

એસજી રોડ વિસ્તારમાં રહેતા મહિલાના પતિ પર દહેજ માંગવાનો પણ આરોપ છે. ફરિયાદ અનુસાર, જ્યારે મહિલાના પરિવારે તેને પૈસા ન આપ્યા તો બુધવારના રોજ તેણે ફરીથી મહિલા સાથે મારપીટ કરી. ત્યારપછી મહિલા સરખેજ પોલીસ સ્ટેશન પહોંચી અને પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને દહેજ માટે ત્રાસ ગુજારવાનો આરોપ મુક્યો.

મહિલાએ FIRમાં જણાવ્યું કે, લગ્નના એક વર્ષ પછી મારા પતિ અને ટોણાં મારવા લાગ્યા હતા અને મારી સાથે સારો વ્યવહાર નહોતા કરતા. મારા માતા-પિતાએ મને લગ્ન ન તોડવાની સલાહ આપી માટે હું ચુપ રહી. મારો પતિ અને તેના પરિવારના લોકો મારા 3 વર્ષના દીકરા સાથે પણ સારો વ્યવહાર નથી કરતા. મારો પતિ મને અપશુનિયાળ માને છે. તાજેતરમાં જ તેણે મારા માતાપિતા પાસે પાંચ લાખ રુપિયાની માંગ કરી,અને જ્યારે મારા માતાપિતાએ ઈનકાર કર્યો તો તેણે મને ઘરમાંથી કાઢી મુકી.

(4:56 pm IST)