Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ઉમરગામના વૃદાંવન સ્ટુડિયોમાં ભીષણ આગ ભભૂકી :ધાર્મિક સીરિયલોના સેટ બળીને ખાખ

-ધાર્મિક સીરીયલોનું શૂટિંગ ચાલતું હતું ત્યારે અચાનક આગ લાગતા અફરાતફરી

 

ઉમરગામના વૃદાંવન સ્ટુડિયોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા  ધાર્મિક સિરીયલોના સેટ બળીને ખાખ થઈ ગયા છે. આગની ઘટના વાયુવેગે લોકો સુધી પહોંચતા પુરા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

  જાણવા મળતી વિગત મુજબ વલસાડના ઉમરગામમાં આવેલા જાણીતા વૃદાંવન સ્ટુડિયોમાં ભીષણ આગ લાગી છે. આ સ્ટુડિયો ધાર્મિક સિરીયલો માટે ખુબ જાણીતો છે. આગની ઘટના સર્જાઈ ત્યારે પણ કેટલીક ધાર્મિક સિરીયલોનું શુટિંગ ચાલી રહ્યું હતું, તે સમયે અચાનક કોઈ કારણોસર આગ લાગી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ. હાલમાં આગની ઝપેટમાં ત્રણ જેટલા ધાર્મિક સિરીયલોના સેટ આવી ગયા છે, જે બળીને ખાખ થઈ ગયા છે.

(12:45 am IST)