Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અંબાજીથી દર્શન કરી બાલારામ જતા રીક્ષા પલ્ટી ખાઈ જતા દાદા-પૌત્રનું મોત

પ્રાંતીજના દલપુર નજીક એસટી બસની ટક્કરે એક પદયાત્રીનું મોત:મોડાસા નજીક અકસ્માતમાં 15 લોકો ઘાયલ

અંબાજીઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થતા ચાલીને અંબાજી જતા શ્રદ્ધાળુઓથી માર્ગો ઉભરાઈ રહ્યાં છે.માર્ગો પર અકસ્માતો પણ અવાર-નવાર સર્જાતા હોય છે. આજે ગુરૂવારે સર્જાયેલા ત્રણ અકસ્માતમાં કુલ ત્રણલોકોના મોત અને 15  લોકો ઘાયલ થયા હતા

મોડી સાંજે અંબાજીથી દર્શન કરી બાલારામ દર્શન કરવા જઈ રહેલા અમદાવાદના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. પરિવાર રીક્ષામાં જઈ રહ્યો હતો. અંબાજી ગબ્બરની પાછળના રોડ ઉપર રીક્ષા પટલી જતાં રીક્ષામાં સવાર દાદા અને પૌત્રનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. અન્ય 5 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘરના બે સભ્યોનાં મોત થઈ જતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો

મોડી રાત્રે પ્રાંતીજના દલપુર નજીક  એસ.ટી બસ ની ટક્કરે એક પદયાત્રીનું મોત થઈ જતાં શ્રદ્ધાળુઓ રોષે ભરાયા હતા. પ્રાંતીજના દલપુર નજીક રોડ ઉપર એસટી બસને વાળવા દરમિયાન રોડ પર જઈ રહેલા એક પદયાત્રીને ટક્કર લાગી ગઈ હતી. ઘાયલ પદયાત્રીને સ્થાનિક લોકો હોસ્પિટલ લઈ જતા હતા, પરંતુ માર્ગમાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું

(12:46 am IST)