Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાવિકોની ભીડ બે દિવસમાં 6,70 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

બીજા દિવસે 4,67,562 પ્રસાદનાં પેકેટ નું વિતરણ:બે દિવસમાં 48 લાખની દાનની આવક

 

ભાદરવી પૂનમના મેળામાં ભાવિકોની ભીડ ઉમટી પડી છે મા અંબાના ધામમાં અત્યારસુધીમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે..જબીજા દિવસે 4 લાખ 19 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આમ બે દીવસમાં અંદાજે 6 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓ દર્શન કર્યા છે.

બીજા દિવસે 4,67,562 પ્રસાદનાં પેકેટ નું વિતરણ કરાયુ છે. જ્યારે 2 દિવસમાં કુલ 7,13,662 પ્રસાદનાં પેકેટ નું વિતરણ થયુ છે  બીજા દિવસે 60 હજાર 212 જેટલા શ્રદ્ધાળુઓ નિશુલ્ક ભોજનનો લાભ લીધો છે..જ્યારે બે દિવસમાં કુલ 63,627 યાત્રિકોએ ભોજનનો લાભ લીધો છે.

 બીજા દિવસે 22 લાખ 92 હજાર 808 રૂપિયાની દાનની આવક થઇ છે..જ્યારે બે દીવસમાં કુલ 47 લાખ 94 હજાર 598 રૂપિયાની દાનની આવક થઇ છે.

(12:48 am IST)