Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પરિણીતાને ત્રાસ આપનાર વડોદરાના દિયેરની પોલીસે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા

વડોદરા:એન.આર.આઇ. મહિલાને પોતે મુંબઇ ક્રાઇમ બ્રાંચના એસીપી તરીકે નોકરી કરતો હોવાની ખોટી ઓલખ આપીને લગ્ન કરી લીધા બાદ પતિએ ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું હતું. પરિણીતાને ત્રાસ આપનાર દિયેરની ગોત્રી પોલીસે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

આ અંગેની વિગત એવી છે કે, સનફાર્મા રોડ પરના વેલાની હાઇસ્કુલમાં રહેતી એન.આર.આઇ. મહિલા સ્નેહાનો પરિચય ભાવેશ અશ્વિનભાઇ પટેલ સાથે થયો હતો. ભાવેશે એવો રૃઆબ છાંટયો હતો કે હું મુંબઇ ક્રાઇમ બ્રાંચમાં એ.સી.પી. તરીકે નોકરી કરતો હતો પરંતુ હાલમાં નોકરી છોડીને બિઝનેસ કરે છે. પોતાની ખોટી ઓળખ ઉભી કરીને ભાવેશે એન.આર.આઇ. મહિલા સ્નેહા સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના થોડા સમય પછી સ્નેહા પાસે રૃપિયાની માંગણી કરીને પતિ, સાસુ, સસરા અને દિયેર દ્વારા શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.

(5:33 pm IST)