Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદીના મોતથી અરેરાટી c

અમદાવાદ:બાઈક ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા કાચા કામના કેદીનું સાબરમતી જેલમાં શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું. રાણીપ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ નિકોલમાં બે બાળકો અને પત્ની સાથે રહેતા મોતીલાલ ધનજીભાઈ નાગર (૪૮) ચોળાફળી વેચવાનું કામ કરતા હતા.થોડા દિવસ પહેલા મોતીલાલ નાગરની બાઈક ચોરીના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. છેલ્લા દસેક દિવસથી વિવિધ પોલીસ સ્ટેશન તેને ટ્રાન્સફર વોરન્ટને આધારે પુછપરછ માચે લઈ જતી હતી. દરમિયાન બે દિવસ પહેલા તેમની રિમાન્ડ પુરા થતા તેમને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી અપાતા સેન્ટ્રલ જેલમાં લઈ જવાયા હતા.

૧૮ ઓગષ્ટના રોજ ધનજીભાઈ કાચા કામના કેદીઓનાં બેરેકમાં બેઠા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયી હતા. સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

(5:32 pm IST)