Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

આણંદ નજીક સામરખામાં નજીવી બાબતે એકને ઢોરમાર મારવામાં આવ્યો

આણંદ:નજીક આવેલા સામરખા ગામના કસ્બામાં મકાન આગળ બનાવેલા છાપરા બાબતે ત્રણ શખ્સોએ તકરાર કરીને પિતા-પુત્રને માર માર્યો હતો. પિતાને માથાના ભાગે તલવાર મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર સલીમમીંયા ઈસામમીંયા મલેક પોતાના ઘર આગળ છાપરું બાંધીને રહે છે. જે બાબતે હબીબભાઈ સાથે તેમને તકરાર અને કોર્ટમાં સમાધાન ચાલી રહ્યું છે. પરંતુ ગઈકાલે બપોરના અઢી વાગ્યાના સુમારે હબીબભાઈએ ગમે તેવી ગાળો બોલીને બોલાચાલી કરી ઈંટ મારી દીધી હતી. તેમનું ઉપરાણું લઈને સમીરમીંયા તલવાર લઈને તેમજ ખાલીદમીંયા ફરસી લઈને આવી ચઢ્યા હતા અને સમીરે પોતાની પાસેની તલવાર સલીમમીંયાને માથામાં જમણી સાઈડે મારી દીધી હતી. જ્યારે વચ્ચે પડનાર સલીમમીંયાના પુત્ર સાહિદને પણ હાથના પંજા ઉપર ઈંટ મારીને ઈજાઓ પહોંચાડી ગડદાપાટુનો માર માર્યો હતો. દરમ્યાન આસપાસના લોકો એકત્ર થઈ જતાં ત્રણેય શખ્સો ત્યાંથી જતાજતાં જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. 
 

(5:31 pm IST)