Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

૨૧ મામલતદારોની બદલી

હળવદના સોલંકી નખત્રાણામાં, મોરબીના કાસુન્દ્રા રાણપુરમાં મુકાયા

રાજકોટ, તા., ર૧:રાજયના મહેસુલ વિભાગે આજે ર૧ મામલતદારોની બદલીના હુકમો કર્યા છે. હળવદના વી.કે.સોલંકીને નખત્રાણા, જામનગર શહેરના આર.પી.નંદાણીયાને ચુડા, મહુવાના આર.એલ.કનેરીયાને લીંબડી, માંડવી-કચ્છના આર.બી.ડાંગીને વિંછીયા, મોરબીના બી.બી.કાસુન્દ્રાને રાણપુર મુકવામાં આવ્યા છે.

બનાસકાંઠા જીલ્લાના ડી.સી.પરમારને માળીયા મિંયાણા, ગઢડાના એન.એસ. જાંબુકીયાને ખાંભા, લીંબડીના એમ.એ.ઝાલાને ગઢડા, વડોદરાના જે.પી.હીરપરાને મહુવા, સાવરકુંડલાને એમ.વી.પરમારને ઉમરાળા, વિસાવદરના વાય.આર.ગોસાઇને વડોદરા ગ્રામ્ય, ચુડાના એલ.એચ.રાવલને સુરેન્દ્રનગર ચીટનીસ તરીકે, માળીયા મિંયાણાના સી.બી.નિનામાને મોરબી તથા સિંહોરના બી.જી.મકવાણાને વડોદરા સ્પે. એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકે મુકવામાં આવ્યા છે.

(4:29 pm IST)