Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

નવસારીના પનિહારી નદીમાં કાર તણાઈને નાળામાં પડતા યુવાનનું મોત

નવસારીના ગણદેવીના દેસાડ અંભેટા માર્ગ પર પનિહારી નદીમાં કાર તણાઈ હતી. દેસાડ ગામનો યુવાન રસ્તા પરથી વહેતા 4 ફુટ પાણીમાં કાર લઈને જવા જતા ફસાયો હતો. તે સમયે નદીના ભારે વહેણમાં કાર તણાઈને નજીકના નાળામાં જઇને પડી હતી. પાણી ભરેલા ઊંડા નાળામાં કાર ખાબકતા યુવાનનું મોત થયું હતુ.

 

(1:05 am IST)