Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વલસાડ રેલવે ઓવરબ્રીજ ટ્રાફિક અવર-જવર માટે ખુલ્લો મૂકતા જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ

જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે આ રેલવે ઓવર બ્રીજને ટ્રાફિકના અવર-જવર માટે ખુલ્લો મૂકયો હતો. ખૂબ જ ટૂંકા સમયગાળામાં નોંધનીય કામગીરી કરનારા આ પ્રોજેક્‍ટના કેન્‍દ્ર સરકારના રેલવે વિભાગના ઈન્‍ચાર્જ અને રાજ્‍યના માર્ગ અને મકાન વિભાગને અભિનંદન આપ્‍યા

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : કેન્‍દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી સ્‍ટેટ કોરિડોર પ્રોજેક્‍ટમાં આવતા ૨૧ જેટલા આર.ઓ.બી. પૈકી ધરમપુરથી વલસાડ રોડ ઉપર આવતા રેલવે ઓવરબ્રીજને માત્ર ૨૦ દિવસના ખૂબ જ ટૂંકા સમયગાળામાં અંદાજિત રૂા.૪ કરોડના ખર્ચે રાજ્‍ય માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલવે વિભાગના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્‍યો છે. આજે તા.૨૧મી જૂનના રોજ વલસાડ જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે આ રેલવે ઓવર બ્રીજને ટ્રાફિકના અવર-જવર માટે ખુલ્લો મૂકયો હતો. ખૂબ જ ટૂંકા સમયગાળામાં નોંધનીય કામગીરી કરનારા આ પ્રોજેક્‍ટના કેન્‍દ્ર સરકારના રેલવે વિભાગના ઈન્‍ચાર્જ અને રાજ્‍યના માર્ગ અને મકાન વિભાગને અભિનંદન આપ્‍યા હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એક જાહેરનામા દ્વારા તા.૨/૬/૨૦૨૧થી તા.૨૧/૬/૨૦૨૧ (બન્ને દિવસો સહિત) ૨૦ દિવસ માટે આર.ઓ.બી. ધરમપુર તરફના છેડાથી વલસાડ આવતા-જતા તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત જાહેર કર્યો હતો.

(7:56 pm IST)