Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

નડિયાદના સલુણબજાર વિસ્તારમાં નેટ ઉતારવા બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાણું: સામસામે હુમલામાં પાંચને ગંભીર ઇજા

નડિયાદ: શહેરના સલુણબજાર વિસ્તારમાં આવેલ ડબગરવાસમાં રહેતાં રાણા પરિવારના બે જૂથો વચ્ચે ગતરોજ ઘર પાસેથી નેટ ઉતારવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બનતાં થયેલ મારામારીમાં બંને પક્ષોના મળી કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે બંને પક્ષોની ફરિયાદ લઈ નડિયાદ ટાઉન પોલીસે કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદના સલુણબજાર વિસ્તારમાં આવેલ ડબગરવાસમાં રહેતાં મેહુલભાઈ શૈલેષભાઈ રાણા તેમના પાડોશમાં રહેતાં મહેશભાઈ ઉર્ફે ભટ્ટો કનુભાઈ રાણાના ઘર પાસે બાંધેલી લીલી નેટ તોડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. જેથી મહેશભાઈ રાણાએ અમારા ઘર પાસે બાંઘેલી નેટ કેમ તોડો છો તેમ કહી મેહુલભાઈને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઈ ગયેલા મેહુલભાઈ શૈલેષભાઈ રાણા એ લાકડાના દસ્તા વડે મહેશભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવની જાણ થતાં મેહુલભાઈનું ઉપરાંણુ લઈ શૈલેષભાઈ પુનમભાઈ રાણા, બ્રિજેશભાઈ શૈલેષભાઈ રાણા અને આશીષભાઈ અમૃતભાઈ રાણા ત્યાં આવી પહોચી મહેશભાઈને માર મારવા લાગ્યાં હતાં. અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. 

(5:29 pm IST)