Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ગુજરાતમાં રાજય યોગ બોર્ડની રચના કરાશે : વિજયભાઈ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં યોગ કર્યા : દિવ્યાંગ બાળકોએ પણ ભાગ લીધો

અમદાવાદ : આજે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને મેયર બિજલબેન પટેલે હાજર રહીને યોગ કર્યા હતાસાથે જ અનેક શાળાના વિદ્યાર્થીઓ સહિત યોગ કરવા માટે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહ્યા હતાદિવ્યાંગ લોકોએ પણ આ યોગમાં ભાગ લીધો હતો.

 

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ પાંચમા વિશ્વ યોગ દિવસે રાજય માં યોગ સાધના અને સ્વસ્થ જીવન માટે જન જન સુધી યોગ ના પ્રચાર પ્રસાર માટે ગુજરાત માં રાજય યોગ બોર્ડ ની રચના કરવાની જાહેરાત કરી છે.

 

વિજય ભાઈ રૂપાણી અમદાવાદ માં પાંચમા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી માં રાજયપાલ શ્રી ઓ પી કોહલી સાથે સહભાગી થતા આ મહત્વ પૂર્ણ જાહેરાત કરી હતી.

(5:25 pm IST)