Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મનજીભાઈની હત્યાનો બનાવ કમનસીબ : વોરા

ગુનેગારોને સજા ફટકારાશે

અમદાવાદ,તા.૨૦ : ભાજપા પ્રદેશ કાર્યાલય ''શ્રી કમલમ'' ખાતે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ગઇકાલે બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના સભ્ય મનજીની હત્યાનો જે કમનસીબ બનાવ બન્યો છે તે ખુબજ દુઃખદ્ ઘટના છે. રાજ્ય સરકાર આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે ત્વરિત પગલાં લઇ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે અને ઉચ્ચ કક્ષાના અધિકારીને તેની તપાસ સોંપવામાં આવી છે. વોરાએ તેમની પોલીસ અધિક્ષક સાથે વાતચીત મુજબ જણાવ્યુ હતુ કે, આ ઘટનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના તમામ ગુનેગારોની ત્વરિત ધરપકડ કરી લેવામાં આવશે.

(9:57 pm IST)