Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

તારાપુર તાલુકાના નભોઈમાં વાડ કરવાની બાબતે બે પરિવારો બાખડ્યા

તારાપુર: તાલુકાના નભોઈ ગામે વાડામાં વાડ કરવાની બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં આઠ વ્યક્તિઓને નાનીમોટી ઈજાઓ થવા પામી હતી આ અંગે તારાપુર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે. 
બળવંતભાઈ નરસિંહભાઈ મકવાણાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે તેમના ભાઈ વિપુલભાઈ સાથે વાડામાં વાડ કરવાની બાબતે બળવંતભાઈ હઠીભાઈ મકવાણા, લાલજીભાઈ હઠીભાઈ મકવાણા, પરેશભાઈ કરશનભાઈ તથા ચેતનભાઈ કરશનભાઈએ ઝઘડો કરીને લાકડીઓ તથા લોખંડની પાઈપથી હુમલો કરીને કૈલાશબેનને કાન ઉપર લાકડી મારીને લોહી કાઢ્યુ હતુ. લાલજીભાઈએ વિપુલભાઈને કમરના ભાગે લાકડી મારી હતી. પુરીબેનને પરેશભાઈએ બન્ને હાથો તથા શરીરના ભાગે લાકડીની ઝાપોટ મારીને ઈજાઓ પહોચાડી હતી જ્યારે ચેતનભાઈએ પોતાની પાસેની લોખંડની પાઈપ નટુભાઈને કપાળના ભાગે મારી દીધી હતી. 
સામા પક્ષે લાલજીભાઈ હઠીભાઈ મકવાણાએ આપેલી ફરિયાદમા જણાવ્યું છે કે, વાડામાં વાડ કરવાની બાબતે બકાભાઈ નાગરભાઈ મકવાણા, વિપુલભાઈ ચતુરભાઈ મકવાણા, નટુભાઈ નાનુભાઈ તથા કૈલાશબેન બકાભાઈ મકવાણાએ ઝઘડો કરીને પરેશભાઈ, ચેતનભાઈ, હીરાબેન તથા તેમને લાકડીઓથી માર માર્યો હતો. કૈલાશબેને છુટો પથ્થરમારો કરતાં લાલજીભાઈ તથા કરશનભાઈને ગળાના ભાગે ઈજાઓ થવા પામી હતી.

(6:45 pm IST)