Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઇન્દ્રાડની સીમમાં થયેલી હત્યાનો ભેદ ખુલ્યો : પ્રેમ સબંધ રાખવાની ના પડતા બળાત્કાર ગુજારી ગળું દબાવી હત્યા

હત્યા કરીને મૃતકના દાગીના પણ લુંટી લઈને વેચી માર્યા

મહેસાણાના નંદાસણ નજીક ઇન્દ્રાડ ગામની સીમમાં મળેલ એક મહિલાની લાશ મામલે હત્યા થયાનું ખુલતા હત્યા કરનાર આરોપની ધરપકડ કરાઈ હતી અને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે હત્યા કરનાર શખ્સે પ્રેમ સંબંધમાં બળાત્કાર કરીને ગળેટુંપો આપીને હત્યા કરીને મૃતકના દાગીના પણ લુંટી લઈને વેચી માર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

  અંગેની વિગત મુજબ મહેસાણાના નંદાસણ નજીક ઇન્દ્રાડ ગામની સીમમાં ગત ૧૦ જુનના રોજ એક મહિલાની લાશ મળતા પોલીસે તપાસ કરતા તે લાશ ઇન્દ્રાડ ગામના વણકર રેખાબેન ઉર્ફે રીનાબેન મુકેશભાઈ શંકરલાલ નામની મહિલાની હોવાનું જાણવા મળ્યું હતું.જે  મામલે નંદાસણ પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાયો હતો જેની તપાસમાં અ મહિલાની હત્યા પ્રેમ સંબંધમાં કરાઈ હોવાનું ખુલવા પામ્યું છે

  મહિલાની લાશ મળ્યા બાદ પોલીસે મૃતક મહિલાના ફોનની કોલ ડીટેઇલ ચકાસી હતી. દરમ્યાન ચાલાસણનો ઠાકોર પુંજાજી વિહાજી તેના વધુ સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેની તપાસ કરતા પુંજાજીએ જ રેખાબેનની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે તપાસ તેજ કરતા ચાલાસણ નજીકથી પુંજાજી ઠાકોરને મહેસાણા એલ સી બી પોલીસે ઝડપી લીધો હતો.

  તેની પુછપરછ કરતા પુંજાજી છેલ્લા દોઢ વર્ષથી રેખાબેનને પ્રેમ કરતો હતો. ત્યારે બે માસથી રેખાબેન ઇન્દ્રાડ રહેવા આવતા તેણીને અન્ય સાથે પ્રેમ સંબંધ થઇ ગયેલ અને પુંજાજી સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પડતા પુંજાજી ઉશ્કેરાઈ ગયા હતા. અને તેના ઘરે જઈને કડી ફરવા જવાના બહાને સાથે લઇ જઈને રસ્તામાં બાવળોની ઝાડીમાં લઇ જઈ શારીરિક સંબંધ બાંધીને રેખાબેનને સાડીથી અને તેના હાથના બંને અંગુઠાથી ગળું દબાવી હત્યા કરી દીધી હતી. 

ત્યારબાદ રેખાબેને પહેરેલ સોના ચાંદીના દાગીના લઇ જઈને જોટાણાના કસલપુરમાં પટેલની દુકાને રૂ.૪૫૦૦માં વેચી દીધા હતા આમ, આ સમગ્ર મામલે પુંજાજી ઠાકોરની હત્યાના આરોપી તરીકે ધરપકડ કરીને નંદાસણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને પુંજાજી ઠાકોરને જેલ હવાલે કરી દીધો છે.

(2:23 pm IST)