Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

૨૭મીએ ગુજરાતના તમામ બંદરો ઉપર કર્મચારીઓ દ્વારા ધરણા પડતર પ્રશ્નો ઉકેલો

અમદાવાદ તા.૨૧ : ભારતીય મઝદુર સંઘ સંલગ્ન ગુજરાત પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘ દ્વારા ગુજરાત મેરીટાઇમ  બોર્ડ નિયંત્રણ હેઠળના વિવિધ બંદરો  ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ તથા પેન્શનરોના વિવિધ અણઉકેલ પ્રશ્નો વડી કચેરી સાથે યુનીયન મીટીંગ યોજીને રજુઆત કરવામાં આવી હતી. જે પરત્વે આ પ્રશ્નોનું નિરાકરણ થયેલ નથી. તેથી મહાસંઘની બેઠકમાં સર્વાનુમતે થયેલ નિર્ણય અનુસાર કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણની માગી સાથે આગામી તા. ૨૭.ના રોજ ગુજરાતના તમામ બંદરો ઉપર પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવાનુ નક્કી કરવામાં આવેલ છે. ગુજરાતના મેરિટાઇમ બોર્ડના  કર્મચારીઓના પડતર પ્રશ્નોમાં મુખ્યત્વે વર્ગ-૩ની ૪૦ જગ્યાઓ મંજુર કરેલ છે. આ જગ્યા ઉપર વર્કચાર્જ કર્મચારીઓ ને કાયમી મહેકમમાં નિમણુંક આપવી ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિતને આર્થિક સહાય ચુકવવી વગેરે પ્ર્શ્નોની રજુઆત થશે.

(12:01 pm IST)