Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

એસજીવીપી ગુરુકુલ અને મેમનગર ગુરુકુલના ૧૫૦૦ વિદ્યાર્થીઓ સમૂહમાં યોગ અને સૂર્ય નમસ્કારની પ્રેક્ટીસ કરી રહ્યા છે.

અમદાવાદ તા.૨૦ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા, સ્વામી કુંજવિહારીદાસજી સ્વામી, શૈલેશભાઇ રાવ,  તથા સૂર્યકાંતભાઇ પટેલની આગેવાની નીચે આવતી કાલ તા. ૨૧ જુન-૨૦૧૮ ના દિવસે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રિય યોગ દિન ઉજવાઇ રહ્યો છે ત્યારે સમૂહમાં ભાગ લેવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપીના વિશાળ ગ્રીનરી પટાંગણમાં એસજીવીપી ઇન્ટનેશનલ સ્કુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલના મળી ૧૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ યોગ અને સૂર્ય નમસ્કારની પ્રેક્ટીસ કરી રહ્યા છે.

(12:11 pm IST)