Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

વડોદરાના આજવારોડની સોસાયટીમાં યુવાને રહસ્યમય સંજોગોમાં ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: શહેરના આજવારોડ વિસ્તારમાં રહેતા યુવાને રહસ્યમય સંજોગોમાં પંખા પર ચાદરથી ફાંસો ખાઇ આત્મહત્યા કરતા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.આ અંગેની વિગત એવી છે કે આજવારોડ પર આવેલી રાજયોગ રેસિડેન્સીમાં રહેતા ૩૦ વર્ષના દિલીપ મોહનભાઇ મિસ્ત્રી નામના યુવાને પંખા પર ચાદર બાંધી આત્મહત્યા કરી હોવાની જાણ બાપોદ પોલીસને થતા પોલીસ ધટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરતા મૃતક યુવાન એકલો રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનો મુંબઇ ખાતે રહે છે મૃતક એલ એન્ડ ટીમાં નોકરી કરતો હતો પરંતુ ચાર માસથી નોકરી છોડી દીધા બાદ તે એકલો રહેતો હતો. અપરિણીત યુવાનના આપઘાત મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતના અન્ય એક બનાવમાં છાણીજકાતનાકા વિસ્તારમાં એકતાનગર ખાતે રહેતા ૪૦ વર્ષના વિષ્ણું ગંગારામ રાજપુતે તા.૧૪ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. દરજીપુરા આરટીઓ સામે જીવરામનગરમાં રહેતા આશારામ ભુરાભાઇ રાઠોડ(ઉ.વ.૫૭)ડાયાબિટિસની બીમારીથી પીડાતો હતો અને તેમને પગમાં ખીલી વાગતા તેઓ વધુ બીમાર થઇ ગયા હતાં. જેથી બીમારીથી કંટાળી જઇ ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું  હતું.

 

(6:17 pm IST)