Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

IAS, IPS, GAS અધિકારીઓની બદલી નજીકમાં: પંકજકુમારનો કાર્યકાળ વધારાશે?

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૧ :.. રાજય સરકારના મુખ્‍ય સચિવશ્રી પંકજકુમાર આ માસના અંતમાં નિવૃત્ત થઇ રહ્યા છે. હવે એ જોવાનું રહ્યું કે સરકાર તેમની નિવૃત્તિ સ્‍વીકારે છે કે તેમને વધુ છ માસ માટે ચાલુ રાખશે. ઉચ્‍ચ અધિકારીઓની બદલી તોળાઇ  રહી છે.
આ વર્ષનાં અંતમાં ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકોની ચૂંટણી યોજાનાર છે તે એક મુદ્‌્‌ો ધ્‍યાનમાં લેવામાં આવે તો કદાચ સેવાઓ ચાલુ રાખવાનો સરકાર નિર્ણય કરશે.
આ ઉપરાંત ત્રણ વધુ આઇ. એ. એસ. અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે. જેમાં ડો. રાજીવ ગુપ્તા, અને અનિતા કરવાલ આ ત્રણેય અધિકારીઓ પણ ખૂબ જ સારી સેવાઓ તેમના આ કાર્યકાળ દરમ્‍યાન આપી છે. આ ત્રણ આઇ. એ. એસ. માંથી ડો. રાજીવ ગુપ્તાની સેવાઓનો સરકારે કયાંક ને કયાંક ઉપયોગ કરે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
ઉપરાંત ચૂંટણીઓ ધ્‍યાનમાં રાખી આગામી પંદર દિવસમાં આઇ. એ. એસ. નાયબ કલેકટરો તેમજ આઇપીએસ અધિકારીઓની બદલીઓ મોટા પાયે થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

 

(3:38 pm IST)