Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

ર૮ મીએ ધો.૧ર વિજ્ઞાનપ્રવાહની માર્કશીટનું વિતરણ : ૩૦ મે આસપાસ સાયન્સ કોલેજમાં પ્રવેશ કાર્ય શરૂ થશે

રાજકોટ ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર શીક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધો.૧ર વિજ્ઞાનપ્રવાહ, પરિણામ ૧૭ મેએ વેબસાઇટ ઉપર જાહેર થયેલ હવે ધો.૧ર વિજ્ઞાનપ્રવાહની માર્કસીટનુ વિતરણ તા.ર૮ને ગુરૂવારે જિલ્લા શીક્ષણાધિકારી દ્વારા તાલુકા તેમજ કોર્પોરેશન વિસ્તારમાં ચોક્કસ વ્યવસ્થાને આધિન કરવામાં આવશે. વિતરણ વ્યવસ્થા સમય માસ્ક સોશીયલ ડીશટન્સ અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરીને ભીડ ન થાય તેવી કાળજી રાખીને કરવામાં આવશે.ધો.૧ર વિજ્ઞાનપ્રવાહની માર્કશીટનું વિતરણ થયા બાદ સાયન્સ કોલેજમાં ઓનલાઇન કે અન્ય રીતે પ્રવેશ કાર્યવાહી ચાલુ થશે.

(6:24 pm IST)