Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

આંકલાવ પાસેના અકસ્માતમાં મૃતક 10 લોકોના પરિવારને બે લાખની સહાય અપાશે :મુખ્યમંત્રી વિજયભાઈની જાહેરાત

મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોના પરિવારને બે લાખની સહાય અપાશે

 

અમદાવાદ :આંકલાવ પાસે ટ્રેલર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકો મોત નિપજ્યા છે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઘટનામાં તમામ મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાય આપવાની મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોના પરિવારને બે લાખની સહાય કરવામાં આવી છે. સાથે સાથે મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે.

 

(11:01 pm IST)