Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

નડિયાદમાં અગાઉ 4 વર્ષીય બાળકીનું અપહરણ કરી તરછોડી દેનાર નરાધમની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

નડિયાદ:તેમજ બોરસદમાંથી બાળકીઓનું અપહરણ કરીને તરછોડી દેનાર જલ્લાના શખ્સને આખરે ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં બાળકીઓના માવતર સાથે ઝગડો થતાં તેમને હેરાન કરવાના હેતુસર તે બાળકીઓનું અપહરણ કરતો હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં સંતઅન્ના ચોકડી નીચે ઢાળમાં જોગણી માતાનું મંદિર આવેલ છે. તેની બાજુમાં કેટલાક શ્રમજીવી પરિવારો છાપરા બાંધી રહે છે. આ છાપરામાં સુનિતાબેન અજયભાઈ વસાવા પણ રહે છે. તેમના પતિ કાગળ-કચરો વીણી તે વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.૩૪-૧૯ ના રોજ વહેલી સવારે તેમનો પતિ નિત્યક્રમ મુજબ કાગળ-કચરો વીણવા ઘરેથી નીકળી ગયાં હતાં. જ્યારે સુનિતાબેન સવારે છ વાગ્યાના અરસામાં ચા બનાવવા ઉઠ્યાં હતાં. ચા બનાવ્યાં બાદ પથારીમાં સુઈ રહેલી તેમની બંને પુત્રીઓ સોનીયા (ઉં.વ ૬) અને ખુશી (ઉં.વ ૪) ને ચા આપવા ગયા હતાં. જો કે આ સમયે તેમની નાની પુત્રી ખુશી પથારીમાં જોવા મળી ન હતી. તેમણે વિચાર્યુ કે તે બાજુમાં ખુલ્લામાં કુદરતી હાજતે ગઈ હશે. પરંતુ અડધો કલાક વિત્યો છતાં પરત ના આવતાં તેઓ ચિંતામાં મુકાયા હતાં. અને તેમણે આસપાસના વિસ્તારોમાં દીકરીની શોધખોળ હાથ ધરી હતી. જો કે તે મળી આવેલ ન હતી. જેથી નડિયાદ પોલીસમાં ફરિયાદ આપી હતી. આ ગુમ થયેલ બાળકી ખુશી તારાપુર ખાતેથી બીજા દિવસે સહીસલામત મળી આવી હતી. 

(5:30 pm IST)