Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

આણંદ નજીક મહીસાગર નદીમાં પાંચ જાનૈયા ડૂબ્યા :ત્રણ મહિલા -એક બાળકનું મોત: એકને બચાવાયો

ઉમરેઠના પ્રતાપપુરાની ઘટના :જાન મોરબીથી આવી હોવાના અહેવાલ

આણંદ જિલ્લામાં મહીસાગર નદીમાં ન્હાવા પડેલાં પાંચ જાનૈયા ડૂબ્યા હોવાના અહેવાલ મળે છે જેમાં ત્રણ મહિલા અને એક બાળકનું કરૂણમોત નીપજ્યું છે જયારે એકને બચાવી લેવાયો છે.

 

   જાણવા મળ્યા મુજબ ઉમરેઠના પ્રતાપપુરામાં  જ્યાં મહીસાગર નદીમાં પાંચ લોકો ન્હાવા પડ્યા હતા. જે બાદ તેઓ ઊંડા પાણીમાં ખેંચાઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે એકને બચાવી લેવાયો છે.જાણવા મળ્યા મુજબ જાન મોરબીથી આવી હતી.નદીમાં ડૂબનાર લોકો જાનૈયા હતા. આ ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી છે. હાલ પોલીસ સહિત તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી છે

 

(1:47 pm IST)