Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

વેરાખડી-સારસા રોડ પર પુરપાટ ઝડપે જતી બાઇકે એક્ટીવાને ટક્કર મારતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વેરાખાડી:વેરાખાડી-સારસા રોડ ઉપર આવેલા માનબા માતાના મંદિર પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા બાઈકે એક્ટીવાને ટક્કર મારતા ચાલકનું મોત થયુ હતુ. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નડીઆદ તાલુકાના સોડપુર ગામે રહેતા અશોકભાઈ પુનમભાઈ પરમારનો પીતરાઈ ભાઈ મનુભાઈ શાંતિલાલભાઈ સોઢા પરમાર આઈઆરબી કંપનીમાં રોડ ઉપર પાટા પાડવાનું કામ કરે છે. હાલમં ડભોઈ ખાતે કામ ચાલી રહ્યું છે. ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે તે પોતાનું એક્ટીવા લઈને વેરાખાડી-સારસા રોડ ઉપર આવેલા માનબા માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા બાઈકે ટક્કર મારતા મનુભાઈને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતુ.

(5:33 pm IST)