Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

નર્મદા જિલ્લામાં બુધવારે ૪૩ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૮૦૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૪૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં સોનીવાડ ૦૨, માલીવાડ ૦૧, અંબિકાનગર ૦૧, ટેકરા ફળિયા ૦૧, સંતોષ નગર ૦૧,આદિત્ય ૦૧,લુહાર ચાલ ૦૧,રાજપુત ફળિયા ૦૧,વડિયા પેલેસ ૦૧ તથા નાંદોદના ઓરી ૦૧, રેલવા ૦૧, નાવરા ૦૧, રામપુરા ૦૧, ધાનપોર ૦૨, આમલેથા ૦૧, લાછરસ ૦૧, જીતનગર ૦૧, ચિત્રાવાડી ૦૧ તથા ગરુડેશ્વરના ઝરીયા ૦૧, કેવડિયા ૦૧, ગોરા ૦૧, કારેલી ૦૧,નાની રાવલ ૦૧, સાંકડ ૦૧ તથા તિલકવાડા ના ભાદરવા ૦૧, ગોલા તલાવડી ૦૧,રેંગણ ૦૧ તથા દેડિયાપાડાના આંબાવાડી ૦૧, નાની બેડવાણ ૦૨, ડેડીયાપાડા ૦૨, પીપલોદ ૦૧ તથા સાગબારાના દેવમોગરા ૦૧, નાના ડોરઆંબા ૦૧, ટાવલ ૦૧, નાની દેવરુપણ ૦૧, ચિત્રકેવડી ૦૧, કેલ ૦૧, પલાસવાડા ૦૧, ભદોદ ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૩ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૫૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૯ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૧૮ દર્દી દાખલ છે, આજે ૨૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૫૫૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૮૦૫ પર પહોચ્યો છે.આજે વધુ ૧૭૦૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:18 pm IST)