Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

બાલાસિનોર શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પ્રકોપમાં નિયમનો ભંગ કરનાર બે દુકાનો સીલ કરવામાં આવી

બાલાસિનોર:તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતું જણાય રહ્યું છે. તાલુકાના જનોડ પિલોદરા રૈયોલી તેમજ ઓઠવાડના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અને કેસો મળી આવ્યા છે. 

હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં સાવચેતીનો અભાવ જણાઈ રહ્યો છે. આ માટે જાગૃતિના પગલા લેવા એ જરૂરી છે જ્યારે તાલુકાના વસાદરા નડિયાદ દાખલ થયેલ વ્યક્તિ બારીમાંથી કૂદીને આપઘાત કર્યાનું જાણવા મળેલ છે. બાલાસિનોર નગરમાં પણ સોસાયટી વિસ્તાર તેમજ ઈન્દીરા નગરી વિસ્તારમાં કોરોનાના કેસો મળી આવેલ છે. 

નગરમાં તાલુકાના પ્રાંત અધિકારી તેમજ નગર પાલિકા અને પોલીસ દ્વારા વારંવાર સૂચનાઓ આપવા છતાં દુકાનમાં વધુ પડતી ભીડ જણા તા સત્તાવાળાઓ દ્વારા બે દુકાનો સીલ મારી દીધા હતા. હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં જીપો અને છકડામાં આડેધડ મુસાફરો ભરીને લઇ જવાય છે તેની સામે પણ તંત્ર દ્વારા પગલા લેવાય એ જરૂરી છે. આજે તાલુકામાં ૧૨ કેસ મળી આવેલ છે.

(5:04 pm IST)