Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

અમદાવાદ મનપાની કાર્યવાહી: ખાનગી ઑફિસોમાં 50 ટકા સ્ટાફ બોલાવવાના હુકમનું પાલન ન કરનાર 2 ઓફિસો સીલ

ટેક્સ ડિપાર્ટમેન્ટ અને AMTS ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા 390 જેટલી ખાનગી ઑફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓની હાજરીનું ચેકીંગ

અમદાવાદ : કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ પ્રકારની ખાનગી ઑફિસો, ખાનગી સંસ્થાઓ, એકમોમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા જ સ્ટાફ બોલાવવા માટેનો હુકમ કર્યો હતો.જે અનુસંધાને આજે ટેક્સ ડિપાર્ટમેન્ટ અને AMTS ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા 390 જેટલી ખાનગી ઑફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓની હાજરીનું ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન 2 ઑફિસોમાં 50 ટકા કરતા વધુ સ્ટાફ જોવા મળ્યો હતો. જેથી આ ઑફિસોને સીલ કરવામાં આવી છે. તેમજ નોટિસ પણ આપવામાં આવી છે.

 

આગામી દિવસોમાં AMC ની ટીમ દ્વારા ઓફીસોમાં 50% સ્ટાફ અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન અંગે ચેકીંગ હાથ ધરવામાં આવશે.

સીલ કરવામાં આવેલી ઓફિસમાં મેઘમણી હાઉસ, કોર્પોરેટ રોડ, પ્રહલાદ નગરઅને વીરા ગોલ્ડ, નિરંત ક્રોસીંગ, વસ્ત્રાલનો સમાવેશ થાય છે

(9:59 pm IST)