Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

દુકાન માલિક વેપારીને ૨૭ હજારનું વળતર ચૂકવશે

ફોનની બેટરી ફાટતાં વેપારી ઈજાગ્રસ્ત થયો હતો : યુવકે ૨૦૧૬માં વરાછા રોડ પર આવેલી હેવમોર મોબાઈલ નામની દુકાનમાંથી ઓપ્પો કંપનીનો ફોન ખરીદ્યો હતો

અમદાવાદ,તા.૨૦ : કન્ઝ્યૂમર કોર્ટે સુરતમાં આવેલી મોબાઈલની દુકાનના માલિકને એક વેપારીને ૨૭ હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેમને, પેન્ટના ખિસ્સામાં રાખેલા મોબાઈલની બેટરી ફાટતાં સાથળ પર ઈજા પહોંચી હતી. ૩૬ વર્ષના હિમાંશુ પટેલે જુન ૨૦૧૬માં વરાછા રોડ પર આવેલી હેવમોર મોબાઈલ નામની દુકાનમાંથી ઓપ્પો કંપનીનો ફોન ખરીદ્યો હતો. ૩૦મી ડિસેમ્બર, ૨૦૧૮ના દિવસે સાંજે ફોનની બેટરી ફાટી હતી. પટેલે મોબાઈલ તેમના પેન્ટના ડાબા ખિસ્સાની અંદર રાખ્યો હતો.

જેના કારણે તેમને સાથળ પર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પટેલે કન્સલ્ટન્સી ચાર્જ પેટે ડોક્ટરને ૭૦૦ રૂપિયા, ડ્રેસિંગના હજાર રૂપિયા અને હજાર રૂપિયા દવાના ચૂકવ્યા હતા. તેમણે ડીલર સામે દાવો માંડ્યો હતો અને ધંધામાં થયેલા નુકસાન સહિતના નુકસાન માટે લાખ રૂપિયાના વળતરની માગ કરી હતી કારણ કે, ઘણા દિવસો સુધી તેમને કામ બંધ રાખવું પડ્યું હતું. તેમણે સુરતની ગ્રાહક વિવાદ નિવારણ આયોગ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં દાવો કર્યો હતો. આયોગે દુકાનના માલિકને નોટિસ ફટકારી હતી, પરંતુ તે હાજર રહ્યો નહોતો.

જેના પગલે કેસની ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદીએ ડો. .એલ. સવાણી દ્વારા આપવામાં આવેલું સર્ટિફિરેટ રજૂ કર્યું હતું, જેમાં બેટરી ફાટવાના કારણે ઈજા પહોંચી હતી તેવો ઉલ્લેખ કરાયો હતો. પટેલ તરફથી દલીલો સાંભળ્યા બાદ કન્ઝ્યૂમર કોર્ટે કહ્યું હતું કે, ઉત્પાદનમાં ખામી અંગે કોઈ ફરિયાદ નથી કારણ કે બેટરી બ્લાસ્ટ થઈ તેના પહેલા બેથી વધુ વર્ષ સુધી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોબાઈલની બેટરી અને ચાર્જર માટે મહિનાની ગેરેંટી હતી.

જો કે, તે હકીકત પણ હતી કે ઈજા બેટરી ફાટવાના કારણે પહોંચી હતી. વધુમાં, ડીલર તરફથી કોઈ દલીલ કરવામાં આવતાં ફરિયાદીનો દાવો યથાવત્ રહ્યો હતો. તેથી, આયોગે જણાવ્યું હતું કે મોબાઈલમાં કોઈ ખામી હતી અને તેથી પટેલની મેડિકલ સારવાર માટે હજાર અને તેમને જે મુશ્કેલી પડી તે માટે ૨૦ હજાર રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. રકમ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ અપાયો હતો.

(9:00 pm IST)