Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

મતદારોનો કોંગ્રેસને સાથ મળ્યો:ભાજપનો નકારાત્મક પ્રચાર: અમિત ચાવડાનો દાવો

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ગુજરાત આવ્યા જેનાથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો જુસ્સો

 અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન થયેલ જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ ઉપસ્થિત રહ્યાં હતા. આ પત્રકાર પરિષદમાં સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોનો કોંગ્રેસને સાથ  મળ્યો હોવાનું અને ભાજપના નકારાત્મક પ્રચાર હોવાનું જણાવ્યું હતું  

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદથી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસ સુધી ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાં કોંગ્રેસને બહોળું સમર્થન મળ્યું છે. આ દરમિયાન અમારા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ગુજરાત આવ્યા જેનાથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો જુસ્સો આવ્યો છે. અમે અમારા મુદ્દાઓને લઇને લોકો સુધી આક્રોસ સાથે પ્રચાર કર્યો

(6:59 pm IST)