Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

હવે વનમંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન :ગણપત વસાવાએ રાહુલ ગાંધીને ''ગલૂડિયાં '' સાથે સરખાવ્યા

ગણપત વસાવાએ કહ્યું રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો કુતરાનું ગલુડિયું ઉભું થયું હોયને પૂછડી પટપટાવતો,,,,,,,

અમદાવાદ :મતદાનની તારીખ નજીક આવતી જાય છે, તેમ તેમ નેતાઓ ભાષણમાં જીભ પરથી કાબુ ગુમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, વનમંત્રી ગણપત વસાવાએ એક સભાને સંબોધતા સમયે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને શ્વાનના બચ્ચા સરખાવ્યા હતા.

  ગણપત વસવાએ સભા સંબોધતા કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો કુતરાનું ગલુડિયું ઉભું થયું હોયને પૂછડી પટપટાવતો, કે, જેને પાકિસ્તાન વાળા એક રોટલી નાંખી દે તો ભી ચાલી જાય અને ચીન વાળા એક રોટલી નાંખી દે તોએ ચાલી જાય'.

  સમગ્ર ઘટનાને પગલે એડીશનલ ચીફ ઈલેકશન કમિશનર દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને ઝડપથી આ મામલે તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે અને સત્વરે આ સમગ્ર મામલે રીપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે. જે ઘટના બની છે. તે ઘટનાની ઓડિયો કલીપ વીડિયો ક્લિપ સહીતના તમામ પુરાવાઓ એકઠા કરી તમામ પૂરાવાઓનું એનાલીસીસ કરીને એક રીપોર્ટ ચૂંટણીપંચને મોકલી આપવા માટેના આદેશો આપવામાં આવ્યા છે.

(9:49 pm IST)