Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ભાજપે મને સાથ આપ્યો :પક્ષ દ્વારા જે કામ સોંપાશે તે કામ કરવા તૈયાર :માયાબેન કોડવાની

અમદાવાદ :નરોડા પાટીયા કેસ મામલે કોર્ટે નિર્દોષ જાહેર કરાયેલા માયાબહેન કોડનાનીએ જણાવ્યુ કે,મારા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા.મને વિશ્વાસ હતો કે હું નિર્દોષ છું      
   એક સવાલના જવાબમાં માયાબહેન કોડનાનીએ જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટીએ હમેશા મને સાથ આપ્યો છે પક્ષની કાર્યકર હોવાના કારણે પક્ષ દ્વારા જે કામ સોંપવામાં આવશે તે કામ કરવા હું હમેશા તત્પર રહીશ. ત્યારે  ભુતકાળને ભૂલીને આગળ વધવુ જોઈએ.

  અત્રે ઉલ્લેખનીય છે કે નીતિન પટેલ અને જીતુ વાઘાણીએ પણ પ્રેસ કૉન્ફરન્સમાં આડકતરી રીતે માયાબેન કોડનાનીને ભાજપમાં જોડાવવા ઈશારો કર્યો હતો. માયા કોડનાનીના નિર્દોષ છુટવામાં ભાજપ સરકારે મદદ કરી હોવાનો કૉંગ્રેસ ખુલ્લેઆમ આક્ષેપ કરે છે.

(9:21 pm IST)