Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પાલનપુરમાં માલેતુજારોના દબાણથી રહીશો ત્રસ્ત :કલેટર કચેરીએ ઉગ્ર રજૂઆત

પાલનપુરમાં માલેતુજારો દ્વારા કરવામાં આવેલા દબાણના કારણે સ્થાનિક લોકોમાં ત્રસ્ત છે અને જબરો રોષ ફેલાયો છે.અહીંના  પચ્ચાસ જેટલા ક્વાર્ટસમાં કરવામાં આવેલા દબાણ મામલે સ્થાનિક લોકોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી છે.
  રજુઆતમાં જણાવાયું હતું કે દબાણના કારણે અહીં ચાલવાની જગ્યા નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, કેટલાક માલેતુજારોએ રસ્તો બંધ કરી દબાણ કર્યું છે. જો આ મામલે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

(7:49 pm IST)