Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ભાજપ સરકારના રાજમાં શિક્ષણ માફીયાઓને લીલાલહેરઃ સુરતમાં અમીત ચાવડા આકરા પાણીએ

સુરતઃ સુરતમાં ફી નિયમન મામલે અનશન પર બેઠેલા વાલીઓને મળવા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા પહોંચ્યા છે. સુરતમાં વાલીઓ સરકારની બેવડી નીતિ સામે લડી લેવાના મૂડમાં છે. અમિત ચાવડાએ અનશન પર બેસેલા વાલીઓ સાથે મુલાકાત કરી હતી. અમિત ચાવડાએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યુ કે, ભાજપ સરકારના રાજમાં શિક્ષણ માફિયાઓને લીલાલહેર છે. રાજ્યમાં શિક્ષણ માફીયાઓની સરકાર છે. સરકારે ફી નિયમનનો કાયદો બનાવ્યો પરંતુ તેના અમલીકરણમાં સરકાર નિષ્ફળ ગઈ છે. સરકારની નિષ્ફળ કામગીરીના કારણે આજે વાલીઓને અનશન કરવા પડ્યા છે.

(6:31 pm IST)