Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના ઇફેક્ટ:રાજપીપળા શહેરમાં મુખ્ય બગીચા સહિત ખાણી-પીણીની લારીઓ પણ બંધ કરાવાયા

સાંજ થી નગર પાલીકા ટીમોએ મુખ્ય બગીચાની સાથે સાથે દરેક લારીઓ બંધ કરાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના વાયરસના કારણે રાજપીપળા શહેરનો મુખ્ય બગીચો શુક્રવારે સાંજ થી બંધ કરવામાં આવ્યો છે સાથે સાથે બગીચા બહાર-અંદર ઉભી રહેતી તમામ ખાણી પીણીની લારીઓ પાલીકા ટિમ દ્વારા બંધ કરાવવામાં આવી હતી

 ,નગર પાલિકા મુખ્ય અધિકારી જયેશ પટેલે કોરોની વાઈરસના સંભવિત ભયને ધ્યાને રાખી નાગરિકોના આરોગ્યની સલામતી જળવાય તે માટે આ નિર્ણય લીધો હોય માટે રાજપીપળા નગરપાલિકા હસ્તકનો બગીચો આગામી તા.30/3/2020 સુધી જાહેર જનતાના ઉપયોગ માટે બંધ કરાયો હોય કોઈ પણ વ્યક્તિએ બગીચામાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ પણ પાલીકા દ્વારા લગાવવામાં આવ્યા છે.

(7:24 pm IST)