Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિમાં તંત્રનું માર્ગદર્શન અને દેખરેખ માટે ચાર વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપી

અમદાવાદ-ગાંધીનગર માટે પંકજકુમાર,સુરત માટે એમ,એસ,પટેલ,વડોદરા માટે વિનોદરાવ અને રાજકોટની જવાબદારી રાહુલ ગુપ્તાને સોંપી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કોરોના વાયરસને કારણે રાજ્યમાં ઉદભવેલી પરિસ્થિતિમાં  સ્થાનિક સત્તાતંત્ર વાહકોનું માર્ગદર્શન અને કાર્ય પર દેખરેખ માટે  ૪ વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપી છે

વિજય ભાઈ રૂપાણીએ આ અંતર્ગત અમદાવાદ ગાંધીનગર માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, સુરત માટે કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમીનિસ્ત્રેશન એમ એસ પટેલ, વડોદરા માટે  શિક્ષણ સચિવ વિનોદ રાવ તેમજ રાજકોટ માટે ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને જવાબદારીઓ આપવાના આદેશો કર્યા છે
આ અધિકારીઓ તાત્કાલિક અસરથી  તેમને સોંપાયેલી આ કામગીરી સંભાળશે
અન્ય આદેશો ના થાય ત્યાં સુધી ચારેય સચિવોએ આ કામગીરી ચાલુ રાખવાની રહેશે તેવી સૂચનાઓ પણ વિજય ભાઈ રૂપાણીએ આપી છે

(10:49 pm IST)