Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

અમદાવાદના ચાંદલોડિયામાં પડોશીના ત્રાસથી યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ:ચાંદલોડિયામાં રહેતા યુવકે પડોશીના ત્રાસથી રાણીપ જીએસટી ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. સાબરમતી રેલવે પોલીસે પડોશી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કરતાં પહેલા મિત્રને ફોન કરીને પરિવારના સભ્યોની સંભાળ રાખવાની વાત કરી હતી, તેમજ મૃતકના પર્સમાંથી સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં પડોશી દંપતિના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે ચાંદલોડિયામાં અર્બુદાનગરમાં રહેતા બેલીબેહન રાઠોડના પતિ અશોકભાઇએ ગત તા. ૧૪ના રોજ રાણીપ જીએસટી ફાટક નજીક ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આ ઘટના અંગે મૃતકની પત્નીએ સાબરમતી રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે છે મહિના અગાઉ તેમની સોસાયટીમાં રહેતા મમતાબહેન તથા તેમના પતિ માધોસિંહ રાઠોડ સાથે તકરાર થઇ હતી ત્યારબાદ ખોટા આક્ષેપો મૂકીને હેરાન પરેશાન કરતા હતા.

(2:30 pm IST)