Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

ગરૂડેશ્વરના ઉમરવાજોશી ગામના આધેડને સાપ કરડતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઉમરવાજોશી ગામના એક આધેડને સાપ કરડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરવાજોશી ગામમાં રહેતા રમેશભાઇ લલ્લુભાઇ તડવી (ઉ.વ.50) ને પોતાના ઘરે પાચ -છ દિવસ પહેલા સાપ કરડ્યો હતો તેથી તેમને પ્રાથમિક સારવાર રાજપીપળા દવાખાને લીધા બાદ તા.૧૮ ફેબ્રુઆરીના રોજ વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દાખલ કરેલ હતા ત્યાં બીજા દિવસે ૧૯ ફેબ્રુઆરીના રોજ મોત થતા ગરડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:59 pm IST)