Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ગૃહમંત્રી અમિતભાઇ શાહનો બરોડા પ્રવાસ કેન્સલ : હવે 25મીએ આવશે : બાવળાના કાર્યક્રમમાં આપશે હાજરી

દિવ્યાંગ લોકોને સાધન સહાય કીટ વિતરણ: વૃદ્ધ સહાય, વિધવા સહાય અને હુકમો સહિત 5000 હજાર સાધન સહાયની કીટ વિતરણ કરશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત ભાઈ શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે. આજે અમિતભાઈ  શાહ બરોડાના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. જો કે હવે 25 તારીખે અમિત શાહ ગુજરાત આવશે. અને બાવળાના APMC ખાતે સમાજ કલ્યાણના વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે.

 સમાજકલ્યાણના કીટ વિતરણ કાર્યક્રમમા અમિત શાહ હાજરી આપશે. દિવ્યાંગ લોકોને સાધન સહાય કીટ વિતરણ કરશે. વૃદ્ધ સહાય,વિધવા સહાય અને હુકમો સહિત 5000 હજાર સાધન સહાયની કીટ વિતરણ કરવામાં આવશે.

(1:55 pm IST)