Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

દાહોદના ફતેપુરાના વડવાસથી સપ્તાહ પહેલા ગુમ સગીરાની કુવામાંથી લાશ મળતા ચકચાર

શાળામાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી મનીષા 13મીથી લાપતા હતી

દાહોદ:ફતેપુરા તાલુકાના વડવાસ ગામેથી આઠ દિવસથી ગુમ થયેલ ધોરણ ૧૧ માં ભણતી  સગીરાની લાશ કૂવામાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

  અંગેની વિગત મુજબ ફતેપુરા તાલુકાના વડવાસ ગામે રહેતા જેન્તીભાઇ ગણેશભાઇ ચમારની દીકરી મનીષા ગામમાં આવેલી એક શાળામાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી હતી. ગત તા. ૧૩.૦૨.૨૦૧૮ ના રોજ મનીષા ગુમ થઇ ગઇ હતી. સંબંધે પરિારજનો દ્વારા તપાસ કરતા મનીષાની કોઇ ભાણ મળી હતી.ત્યારે ગ્રામજનોએ મનીષાબેનની લાશ કુવામાં જોવા મળતા ગ્રામજનોએ તેના પિતા જેન્તીભાઇને તે બાબતની જાણ કરતા જેન્તીભાઇ સહિત પરિવારજનો કુવા પાસે દોડી ગયા હતા. અને ત્યા મનીષાની લાશ કુવામાં નજરે પડી હતી.

(10:57 pm IST)