Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વિજયનગર તાલુકાના પાલ ગામ નજીક કપિરાજનો આતંક:ગ્રામજનોમાં ભયનો માહોલ

વિજયનગર:તાલુકાના પાલ ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વાનરટોળકીનો આતંક વધી રહ્યો છે. આ વિસ્તારના પશુ-પાલકોની પરેશાની વધતા ન છુટકે પાલ ગામના ગ્રામજનોપશુ-પાલકોએ વન વિબાગમાં લેખિતમાં જાણ કરી છે.

જેના અનુસંધાને અધિકારીઓ દ્વારા વાંદરાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. પાલ પંથકમાં આતંક મચાવતા વાનરોને પાંજરામાં પુરીને જંગલ વિસ્તારોમાં સત્વરે છોડી મુકવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી કરી છે.

આ વાનરો ગામોમાં ઘરોમાંઘરોના છાપરા ઉપર કૂકાદુક કરીને કાચા મકાનોના નળીયા તોડી નાખતા કે એમના અવાજોના કારણે પશુઓ ભડતા પશુપાલકો પણ હેરાન પરેશાન બન્યા છે. ત્યારે વાનરોની ટોળકીને પકડવા વન અધિકારીઓને લેખિત રજૂઆતો કરી છે.

(5:13 pm IST)