Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

નડિયાદ તાલુકાના પીપલગ નજીક બપોરના સુમારે નહેર પાસેથી અજાણ્યા કિશોરની લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી

નડિયાદ: તાલુકાના પીપલગ નજીક ખોડીયાર માતાના મંદિર પાસેથી પસાર થતી નહેરમાંથી આજે બપોરે એક અજાણ્યાં કિશોરની લાશ મળી હોવાની માહિતી પોલીસને મળતાં તેમણે ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી વાલીવારસોને શોધવા રૂરલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના પીપલગ નજીક ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. તેની પાસેથી મોટી નહેર પસાર થાય છે. આ નહેરમાં એક અજાણ્યાં કિશોરની લાશ પડી હોવાની માહિતી નડિયાદ રૂરલ પોલીસને મળી હતી. જેથી તેમણે નડિયાદ ફાયર બ્રિગેડની મદદ લઈ પાણીમાંથી લાશને બહાર કાઢી હતી અને પીએમ માટે મોકલી હતી. અજાણી આ લાશ ૧૬ થી ૧૭ વર્ષના કિશોરની છે. જો કે પોલીસે આજુબાજુ તપાસ કરતાં તેના વાલીવારસો મળ્યાં નથી. એટલે પોલીસે અન્ય પોલીસ સ્ટેશનમાં લાશના ફોટા મોકલી કોઈ ગુમશુદા કિશોર સાથે આ ફોટા મેચ થાય છે કે નહીં, તે બાબતની તપાસ હાથ ધરી છે. મરનારની ઓળખ થયા બાદ જ આગળની માહિતી હાથ લાગશે તેમ પોલીસ જણાવી રહી છે. પીએમમાં મોતનું કારણ ઉજાગર થવાની શક્યતા જોવાઈ રહી છે. હાલમાં તો અજાણી લાશના વાલીવારસોને શોધવાની દિશામાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(5:25 pm IST)