Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ભીલવાડામાં નીલગાયનો શિકાર કરનારા ૨ ડફેર ઝડપાયા

બંદુકની ગોળી મારી નીલગાયની હત્યા કરતાં જીવદયાપ્રેમીઓમાં ભારે રોષફેલાયો હતો

પાલનપુર :તાલુકાના ભીલવાડા ગામે ડફેરોએ બંદુકની ગોળી મારી નીલગાયની હત્યા કરતાં જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો હતો. દરમિયાન પાલનપુર વન વિભાગની ટીમે નીલગાયના હત્યારા બે ડફેરોને ઝડપી લીધા હતા. જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

   પાલનપુર તાલુકાના ભીલવાડા ગામે ડફેરોએ બંદુકની ગોળી મારી નીલગાયની હત્યા કરતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો હતો. અને આ હત્યારાઓને ઝડપી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામીહતી

 દરમિયાન પાલનપુર વન વિભાગના ફોરેસ્ટ અધિકારી બી. એ. સિંધીએ તાત્કાલિક તપાસ હાથ ધરી નીલગાયના હત્યારા રહેમતઉલ્લા સિંધી (ડફેર) અને હુસેન મહમદ સિંધી (ડફેર)ને ઝડપી લીધા હતા
જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા

(6:12 pm IST)