Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કડોદરા વિસ્તારમાં રાત્રિના 8 વાગ્યાથી કરફ્યુ જાહેર

તમામ ગામોના સરપંચોને પોતાના ગામમાં રાત્રે 8 વાગ્યાથી કરફ્યુના અમલનું કહેણ

સુરત જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોમાં પણ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અને કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામો અને નગરમાં રાત્રિના 8 વાગ્યાથી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વધતાં જતાં કોરોના કેસોને લઈ કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામો તેમજ કડોદરા નગર પાલિકા વિસ્તારમાં આજરોજ રાત્રિના 8 વાગ્યા થી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. કડોદરા વિસ્તાર ઔદ્યોગિક એકમોથી ધમધમતો હોય અને અંહી પરપ્રાંતિયો લોકો રોજગારી માટે આવતા હોય આ વિસ્તારમાં વધતા જતાં કોરોનાના કેસોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચોને પોતાના ગામમાં રાત્રે 8 વાગ્યાથી કરફ્યુ નો અમલ કરવાનું જણાવવામાં આવ્યું છે.

(7:19 pm IST)