Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આજે વિશ્વ આરોગ્ય દિનઃ આરોગ્ય કર્મચારીઓ દ્વારા અંગદાન સંકલ્પ

રાજકોટ તા. ૭: આજે વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી થઇ રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા મૃત્યુ બાદના અંગદાનનો સંકલ્પ કરવામાં આવી રહ્યો છે.બ્રેઇનડેડ થાય અથવા હૃદયરોગના હુમલાથી મૃત્યુ થાય તો અંગદાન થઇ શકે છે. તેના માટે હયાતીમાં ફોર્મ ભરવાનું હોય છે. આજે રાજયના આરોગ્ય કર્મચારીઓ પોતે ઉપરોકત સંજોગોમાં અંગદાનનો સંકલ્પ કરવા ઉપરાંત ૧૦ લાખ લોકોને અંગદાન માટે પ્રેરિત કરવા માંગે છે. આ બાબતે જનજાગૃતિ માટે પ્રયાસ થશે. આ વર્ષે આરોગ્ય દિવસની ઉજવણીમાં સ્વાસ્થ્ય જાળવણી સાથે સમાજ સેવા પર ભાર મુકવામાં આવ્યો છે. આંખ, હૃદય વગેરેનું દાન અન્ય પીડિત લોકો માટે ઉપયોગી થઇ શકે છે. ગુજરાતના આરોગ્ય ખાતાના કર્મચારીઓએ પહેલ કર્યાના અહેવાલ છે.

(3:32 pm IST)