Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૬ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૩૫૩ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં ભાટવાડા ૦૧, ટેકરા પોલીસ લાઈનમાં ૦૧,ટેકરા ફળિયામાં ૦૧, એમ .વી.  રોડ પર ૦૧, નરેન્દ્ર પાર્ક માં ૦૧, દૌલત બજારમાં ૦૧ તથા નાંદોદના ભૂછાડમાં ૦૧,ગુવારમાં ૦૧, આમલેથા માં ૦૧,વડિયા માં ૦૧ તથા ગરુડેશ્વર ના વાલપુરમાં ૦૧, ખડગદામાં ૦૧, તિલકવાડામાં ૦૧, દેડીયાપાડા માં ૦૧ તથા સાગબારા ના પાટ માં ૦૧, ટાવલ માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૧૬ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૩૧ દર્દી દાખલ છે, આજે ૨૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૨૪૫ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૩૫૩ પર પહોચ્યો છે.આજે વધુ ૧૨૩૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(9:12 am IST)